1. રેસનો ઘોડો 2. ભૂલી ગયા પછી
3. વાઈરલ ઈન્ફેકશન 4. છત્રી
(હેતુલક્ષી પ્રશ્નો)
1. વિનુકાકા વાત વાતમાં શું કહેતા ?
નિશાન ઊંચું રાખવું
2. અંકિતના માતાપિતાનું સ્વપ્ન હતું કે....
તે ઉમદા માણસ બને
3. અમેરિકામાં રહેતા ડૉકટર સૌરભ પાસે કોના માટે સમય નથી ?
પોતાનાં માતાપિતા માટે
4. નીનાબહેને તેમના પતિ પાસે શું માંગ્યું ?
અંકિતનું શૈશવ
5. અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા ?
રામાયણ-મહાભારતની બાળકથાઓનાં પુસ્તકો
6. ‘રેસનો ઘોડો’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
નવલિકા
7. વર્ષા અડાલજાની નોંધપાત્ર નવલકથાઓ કઇ ?
1. મારે પણ એક ઘર હોય 2. અણસાર 3.રેતપંખી
4. ગાંઠ છૂટ્યાની વેળા
8. ‘બાળકોને પોતાની મેળે વિકસવા દેવા જોઇએ અને તેઓ ઉમદા નાગરિક બને’ – આવો ભાવ/હેતુ કયા પાઠ દ્વારા વ્યક્ત થયો છે ?
‘રેસનો ઘોડો’ પાઠ દ્વારા
9. મનીષા દેસાઇએ સુરતી કુટુંબને કોના હુમલામાંથી બચાવેલું ?
રીંછના
10. નરેને કઇ તાલીમ મેળવી હતી ?
વનસંરણની તાલીમ
11. રીંછ માણસને જોઇને શું કરે છે ?
ઝનૂનથી પ્રતિકાર કરે છે.
12. ‘ભૂલી ગયા પછી’ એકાંકીના લેખક કોણ છે ?
રઘુવીર ચૌધરી
13. ‘ડીમલાઇટ’ અને ‘ત્રીજો પુરૂષ’ કોના નોંધપાત્ર એકાંકી સંગ્રહો છે ?
રઘુવીર ચૌધરીના
14. રઘુવીર ચૌધરીનું વતન જણાવો.
બાપુપુરા (જિલ્લો. ગાંધીનગર)
15. આબુમાં પર્વતારોહક શિબિરમાં કોચ તરીકે કોણ સેવાઓ આપતું હતું ?
મનીષા દેસાઇ
16. ‘ભૂલી ગયા પછી’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
એકાંકી
17. ‘ભૂલી ગયા પછી’ એકાંકી શેમાંથી લેવામાં આવ્યું છે ?
ત્રીજો પુરૂષ
18. રઘુવીર ચૌધરીની નોંધપાત્ર નવલકથાઓ કઈ?
1.અમૃતા 2.લાગણી 3.સોમતીર્થ 4.વેણુવત્સલા
19. ‘અરે ! પેલો ગુલમોર કેવો ખીલ્યો છે !’ – આ વાક્ય કોણ કોને કહે છે ?
સલોની નરેનને
20. ‘વાઈરલ ઈન્ફેકશન’ કોની રચના છે ?
ગુણવંત શાહની
21. ગુણવંત શાહનું વતન જણાવો.
રાંદેર (જિલ્લો. સુરત)
22. ખાવા-પીવાની બાબતમાં કોણ બેદરકાર છે ?
ભણેલા અને અભણ બન્ને
23. ‘ગાંધીનાં ચશ્મા’ કૃતિ કોની છે ?
ગુણવંત શાહ
24. ‘વાઈરલ ઈન્ફેકશન’ નો સાહિત્યપ્રકાર જણાવો.
નિબંધ
25. ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા ?
સ્વામી વિવેકાનંદ
26. ગુણવંત શાહને ભારત સરકારે કયા પુરસ્કાર (એવોડ) થી સન્માનિત કર્યા હતા ?
પદ્મશ્રી એવોર્ડથી
27. સેમ્યુઅલ બટલરે કેવા આદર્શ સમાજની કલ્પના કરેલ ?
સમાજમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય
28. લેખક કેવા લોકોને ‘સાધક’ કહીને કટાક્ષ કરે છે?
સ્થૂળસાધના કરતા કે બેઠાડું જીવન જીવતા લોકોને
29. ગાંધીજી પોતાની માંદગીને શું માનતા ?
આધ્યાત્મિક ભૂલ
30. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઇ માંદું પડે તો શું કરતા ?
દાક્તરને સજા કરતા
31. હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઇ શકે?
હોસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી
32. લેખકના મતે સભ્ય સમાજની શરમ કઇ ?
ઓ.પી.ડી.માં દર્દીઓનું કિડિયારું ઉભરાય તે
33. માંદગીને લગભગ અપરાધ કોણ માનતું ?
ગાંધીજી
34. ‘છત્રી’ પાઠના લેખક કોણ છે ?
રતિલાલ બોરીસાગર
35. રતિલાલ બોરીસાગરનું જન્મસ્થાન કયું ?
સાવરકુંડલા (સૌરાષ્ટ્ર)
36. ‘છત્રી’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
હાસ્ય નિબંધ
37. દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામે સ્મિત કર્યું કારણ કે...
લેખક છત્રી ખોઇને ફરી છત્રી લેવા આવ્યા હતા.
38. લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે...
તે બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઇચ્છતા હતા.
39. દુકાનદારે લેખકને કઇ સલાહ આપી ?
છત્રી તેમની પાસે ટકે તેનો ઉપાય શોધી કાઢવાની.
40. પોતાના કુંવરને કાંટા ન વાગે તે માટે રાજાએ શું કર્યું ?
આખા રાજ્યની ધરતી ચામડાથી મઢી દેવાનો હુકમ કર્યો.
41. રતિલાલ નોરીસાગરની હાસ્ય નવલ કઇ છે ?
સંભવામિ યુગે યુગે
42. ‘રખડુનો કાગળ’ કોની કૃતિ (રચના) છે ?
મહેન્દ્રસિંહ પરમાર
43.‘ડાંગવનો અને...’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
નિબંધ
44. ‘ડાંગવનો અને...’ પાઠના લેખક કોણ છે ?
મહેન્દ્રસિંહ પરમાર
45. મહેન્દ્રસિંહ પરમારનું વતન કયું છે ?
કુકણા (જિલ્લો.સુરેન્દ્રનગર)
46. ‘ડાંગવનો અને...’ નિબંધ શેમાંથી લેવામાં આવ્યો છે ?
‘રખડુનો કાગળ’ નિંબધસંગ્રહમાંથી
47. અંકલેશ્વરને મિત્રો મજાકમાં શું કહેતા ?
ગંદકેશ્વર
48. કોના કારણે સાગનાં ઝાડ શણગારેલાં લાગે છે ?
આગિયાના કારણે
49. શાના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા ?
મૃત્યુના માનમાં
50. ગિરમાળનો ધોધ કઇ નદી પરથી પડતો હતો ?
ગિરા નદી પરથી
51. લેખકને કોણે ઝંકૃત કર્યાં છે ?
નર્મદા નદીએ
52. લેખક શું જોઇને કબીરજીને અનુભવે છે ?
કબીરવડ જોઇને
53. લેખક કોને ‘ઉન્મત્ત ગજયૂથ’ જેવા કહે છે ?
લળી લળીને હેત કરતાં વાંસના ઝૂંડના ઝૂંડને
54. લેખક આહવા જતાં પહેલાં ત્રણ દિવસ ક્યાં રોકાયા ?
અંકલેશ્વર
No comments:
Post a Comment