educational Blog

Comments system

test

Breaking

Post Top Ad

Your Ad Spot

Ramban Poem | STD 12 | રામબાણ



 Ramban Hetulaxi Quiz-005

1. ‘રામબાણ’ કાવ્ય/કૃતિનો સાહિત્યપ્રકાર જણાવો.
* ‘રામબાણ’ કાવ્યનો સાહિત્યપ્રકાર પદ / ભજન છે.
2. ‘રામબાણ’ કૃતિના કર્તા/કવિ કોણ છે ?
* ‘રામબાણ’ કૃતિના કર્તા/કવિ ધના ભગત છે.
3. ધના ભગત ક્યાંના વતની હતા ?
* ધના ભગત ઉમરાળા તાલુકાના ધોળા જંકશનના વતની હતા.
4. ધના ભગતનું આખું નામ શું હતું ?
* ધના ભગતનું આખું નામ ધના કેશવ કાકડિયા હતું.
5. ધના ભગતની સમાધી ક્યાં આવેલી છે ?
* ધના ભગતની સમાધી ભાવનગર જિલ્લાના ધોળા મુકામે આવેલી છે.
6. ‘રામબાણ’ એટલે ?
* ‘રામબાણ’ એટલે પ્રભુ ભક્તિનું બાણ જે ભક્તને પ્રભુની ભક્તિમાં ઘાયલ, લીન-તલ્લીન કરે.
7. ધના ભગતના મતે મૂરખ મનમાં શું જાણતો નથી ?
* ધના ભગતના મતે મૂરખ મનમાં પ્રભુભક્તિનો રસ કે આનંદ કેવો હોય તે જાણતો નથી.
8. વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે ?
* વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને શુકદેવજી એમની માના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુભક્તિમાં લીન થયા હતા.
9. ધ્રુવ કોનો પુત્ર હતો ?
* ધ્રુવ ઉત્તાનપાદનો પુત્ર હતો.
10. પ્રહલાદ કોનો પુત્ર હતો ?
* પ્રહલાદ હિરણ્યકશિપુનો પુત્ર હતો.
11. રામબાણ કોને કોને વાગ્યાં છે?
* રામબાણ ધ્રુવ, પ્રહલાદ, મયૂરધ્વજ, શુકદેવજી, મીરાંબાઈ, નરસિંહ મહેતા તેમજ અનેક સંતોને વાગ્યાં છે.
12. નરસિંહ મહેતાની કઈ વસ્તુ પ્રભુ(શ્રીકૃષ્ણ) એ સ્વીકારી હતી ? 
** નરસિંહ મહેતાએ લખેલી હૂડી પ્રભુએ સ્વીકારી હતી.
13. પ્રભુએ કોનો ઉદ્ધાર કર્યો છે ?
* પ્રભુએ ધ્રુવ, પ્રહલાદ, મીરાંબાઇ, નરસિંહ મહેતા જેવા અનેક સંતો-ભક્તોનો ઉદ્ધાર કર્યો છે.
14. ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે ?
* ધના ભગત હૃદયમાં ધારણા બાંધે છે કે જેઓ પ્રભુભક્તિમાં લીન થઇને પ્રભુ પ્રત્યે સમર્પણનો ભાવ રાખે છે એવા અનેક સંતો-ભક્તોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે.

No comments:

Post a Comment

Post Top Ad

Your Ad Spot

Pages