1. વૈષ્ણવજન 2. શીલવંત સાધુને
3. દીકરી 4. હું એવો ગુજરાતી
(હેતુલક્ષી પ્રશ્નો)
1. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો ?
તળાજા (ભાવનગર)
2. નરસિંહ મહેતાનાં પદ કયા નામે જાણીતાં છે ?
પ્રભાતિયાં
3. કોના દર્શન કરવાથી એકોતેર પેઢી તરી જવાય છે ?
વૈષ્ણવજનનાં
4. ‘વાચ,કાચ,મન નિર્મળ રાખે’ એટલે...
વાણી,ચારિત્ર્ય અને મનને કપટથી દૂર રાખે.
5. મોહમાયા કોને સ્પર્શી શકતાં નથી ?
વૈષ્ણવજનને
6. ગાંધીજીને નરસિંહ મહેતાનું કયું પદ અતિપ્રિય હતું ?
વૈષ્ણવજન તો તેને કહીએ...
7. નરસિંહ મહેતાને ગુજરાતી સાહિત્યમાં કયું બિરુદ મળ્યું છે ?
આદિકવિ
8. શીલવંત સાધુ એટલે ?
ચારિત્ર્યવાન
9. ગંગાસતીની શિષ્યાનું નામ શું છે ?
પાનબાઇ
10. ગંગાસતીનું જન્મસ્થળ જણાવો.
રાજપરા (ભાવનગર)
11. ગંગાસતીએ તેમનાં શિષ્યા પાનબાઇને કેટલા દિવસ સુધી એક એક રચના સંભળાવી હતી ?
52 (બાવન) દિવસ સુધી
12. ‘દીકરી’ કાવ્યનો પ્રકાર જણાવો.
ગઝલ
13. અશોક ચાવડાનું ઉપનામ (બીજુંનામ) જણાવો.
બેદિલ
14. દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે ?
દેવીઓની ઝલકમાં
15. દીકરીની સમજણ વિસ્તરે છે એવું કયા કારણસર કહી શકાય ?
પિતાને સહારો આપે છે તેથી
16. કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે ?
દીકરીંને
17. ‘હું એવો ગુજરાતી’ કાવ્યનો પ્રકાર જણાવો.
ગીત
18. ‘હું એવો ગુજરાતી’ કાવ્યના કવિ કોણ છે ?
વિનોદ જોષી
19. ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કઇ નદીનો ઉલ્લેખ કરે છે ?
નર્મદા
20. ‘હું એવો ગુજરાતી’ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરે છે ?
પ્રભાતિયાં માટે
No comments:
Post a Comment