6. ચોપડાની ઈન્દ્રજાળ 7. જન્મોત્સવ
8. ગતિભંગ
(હેતુલક્ષી પ્રશ્નો)
8. ગતિભંગ
(હેતુલક્ષી પ્રશ્નો)
1. ‘ચોપડાની ઈન્દ્રજાળ’ પાઠના લેખક કોણ છે ?
ચંદ્રકાન્ત પંડ્યા
2. ‘ચોપડાની ઈન્દ્રજાળ’ નો સાહિત્યપ્રકાર જણાવો.
આત્મકથાખંડ
3. ચંન્દ્રકાન્ત પંડ્યાનું જન્મસ્થાન જણાવો.
ધરમપુર (જિલ્લો.વલસાડ)
4. જીવલાની કરૂણ દશા જોઇને...
લેખકનું હૃદય ઢ્રવી ઊઠ્યું.
5. લેખકને પોતાની જાત ઉપર તિરસ્કાર આવ્યો કરણ કે...
જીવલાના છોકરાંનો મોંનો કોળિયો પોતે ઝૂંટવ્યો હોય તેવું લેખકને લાગ્યું.
6. ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ રહેતો ?
રાજા, અમલદાર, ધગડું(પટાવાળો), તલાટી, ભૂવો અને શાહુકારનો
7. લેખક કોને ‘શરીફ ડાકુઓ’ કહે છે ?
શાહુકારો અને શોષણખોરોને
8. લેખકના મતે ચોપડાની ઈન્દ્રજાળ એટલે...
વ્યાજની એવી જાળ કે જેમાંથી ગરીબ ક્યારેય છટકી શકતો નહિ.
9. શાહુકારો અને વ્યાજખોરો હિસાબનું ગણિત કેવું ગણતા?
સત્તર પંચા પંચાણું
10. દર વર્ષે જીવલો લેખકના ઘરે કઇ -કઇ વસ્તુઓ આપવા જતો ?
લાકડાં, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી અને ઢોર માટે ઘાસ
11. ‘શાહુકારો અને વ્યાજખોરો દ્વારા ગરીબ અને અભણ લોકોનું શોષણ થાય છે.’ આ વાત કયા પાઠમાં કરવામાં આવી છે ?
‘ચોપડાની ઈન્દ્રજાળ’ પાઠમાં
12. લેખકના પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવવાનો કિમિયો કોણે બતાવેલો ?
તેમના કોઇ ભાઈબંધે
13. લેખકના પિતાજીને લોકો કયા નામે બોલાવતા ?
‘હાઉકાર’ના નામે
14. લેખકના બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ કોણ કરી આપતું ?
દાસકાકા
15. લેખકે શાહુકારી ચોપડાનું શું કર્યું ?
તેનાં બધાં પાનાં ચીરી નાંખ્યા.
16. મહમદ અને રસિક કોણ હતા ?
લેખકના મિત્ર
17. દેશી રાજ્યમાં કોને ઘી કેળાં હતાં ?
શોષણખોરોને
18. ‘જા,તું હવે અમારા લેણામાંથી છૂટો !’ આ વાક્ય કોણ કોને કહે છે ?
લેખક જીવલાને
19. ‘જન્મોત્સવ’ પાઠના લેખકનું નામ શું છે ?
સુરેશ જોષી
20. સુરેશ જોષીનો જન્મ ક્યાં થયો હતો ?
વાલોડ ( સુરત જિલ્લો)
21.‘જન્મોત્સવ’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
નવલિકા (વાર્તા)
22. સુરેશ જોષીના પિતાનું નામ શું હતું ?
હરિપ્રસાદ
23. ‘છિન્નપત્ર’ અથવા ‘મરણોત્તર’ એ કોની નોંધપાત્ર નવલકથા છે ?
સુરેશ જોષીની
24. ‘ગૃહપ્રવેશ’ એ કોનો નોંધપાત્ર વાર્તાસંગ્રહ છે ?
સુરેશ જોષીનો
25. ‘જન્મોત્સવ’ વાર્તા શેમાંથી લેવામાં આવી છે ?
‘ગૃહપ્રવેશ’ વાર્તાસંગ્રહમાંથી
26. દેવજી અને કાનજી નવજાત બાળકને કોની પાસે લઇ ગયા હતા ?
વેલજી ડોહા પાસે
27. ‘જન્મોત્સવ’ પાઠમાં લેખક શું કહેવા માગે છે ?
સમાજની જુદી જુદી બે પરિસ્થિતિનું ચિત્ર રજુ કરવા માગે છે.
28. દેવજી અને કાનજી નવજાત બાળકને વેલજી ડોહા પાસે કેમ લઇ ગયા ?
તેના ટાંટીયા વળાવી દઇને તેને અપંગ કરી નાંખવા
29. ફગફગિયો દીવો બુઝાઇ જવાની સાથે બીજી કઇ ઘટના બની ?
નવા જન્મેલા બાળકનું રૂદન ગાજી ઊઠ્યું.
30. લાલ કિનખાબનો પડદો ક્યારે ખૂલે તેની લોકો રાહ જોઇ રહ્યા હતા કારણ કે...
વીજળીની કરામતથી કૃષ્ણજન્મનું દ્દશ્ય ઊભું થવાનું હતું.
31. ‘ગતિભંગ’ નો સાહિત્યપ્રકાર કયો છે ?
લઘુકથા
32. ‘ગતિભંગ’ લઘુકથાના લેખક કોણ છે ?
મોહનલાલ પટેલ
33. મોહનલાલ પટેલનું વતન જણાવો.
પાટણ (ઉત્તર ગુજરાત)
34. ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માગતા હતા ?
રાજપુર
35. ‘આપણી બબલીની જ પગલી જાણે !’ આ વાક્ય કોણ બોલે છે ?
ડુંગરની પત્ની
36. ‘લ્યો હેંડો હવે પગ ઉપાડો ઝટ...ગાડી ચૂકી જઈશું.’ આ વાક્ય કોણ બોલે છે ?
ડુંગરની પત્ની
37. ‘લ્યો હેંડો હવે પગ ઉપાડો ઝટ...ગાડી ચૂકી જઈશું.’ તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું ?
પતિને મૃત બબલીના વિચારોમાંથી જાગ્રત (સાવધ) કરવા.
No comments:
Post a Comment