1. સાંજ સમે શામળિયો (કાવ્ય)
(હેતુલક્ષી પ્રશ્નો)
1. ‘સાંજ સમે શામળિયો’ નો કાવ્યપ્રકાર જણાવો.
ઉત્તર: ગીત - કાવ્ય
2. નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો ?
ઉત્તર: તળાજા (ભાવનગર જિલ્લો)
3. ગુજરાતી ભાષાના ‘આદિકવિ’ નું બિરૂદ કોને મળ્યું છે ?
ઉત્તર: નરસિંહ મહેતાને
4. નરસિંહ મહેતાનું બાળપણ ક્યાં વીત્યું ?
ઉત્તર: જૂનાગઢમાં
5. નરસિંહ મહેતાનાં પદોમાં શેની ઊંચાઈ જોવા મળે છે ?
ઉત્તર: અધ્યાત્મની ઊંચાઈ
6. નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં કયા છંદમાં લખાયાં છે ?
ઉત્તર: ઝૂલણા છંદમાં
7. નરસિંહ મહેતાની રચનાઓ (કૃતિઓ) જણાવો.
ઉત્તર: 1.હિંડોળાનાં પદ 2.વસંતનાં પદ 3.કૃષ્ણલીલા
4.હાર 5.હૂંડી 6.મોસાળું 7. વિવાહ અને શ્રાદ્ધ
8. કૃષ્ણના મનમોહક રૂપનું વર્ણન કયા કાવ્યમાં કરવામાં આવ્યું છે ?
ઉત્તર: ‘સાંજ સમે શામળિયો’ કાવ્યમાં
9. ગોવાળોમાં કોણ શોભી રહ્યું છે ?
ઉત્તર: ગિરધર (કૃષ્ણ)
10. ગોવાળોમાં ગિરધર કેવા શોભી રહ્યા છે ?
ઉત્તર: તારામંડળમાં શશિયર અને સોનામાં જડેલા હીરાની જેમ
11. ‘હરિ હળધરનો વીરો’ એટલે ?
ઉત્તર: બલદેવજી (બલરામ)ના ભાઇ
12. ભગવાન શ્રીકૃષ્ણએ....
ઉત્તર: પીળા રંગનાં વસ્ત્રો(પીતાંબર) પહેર્યાં છે.
13. શ્રીકૃષ્ણની શોભા જોઇને નરસિંહ મહેતા...
ઉત્તર: હરખ પામી રહ્યા છે.
14. સાંજ સમયે શામળિયો ક્યાંથી આવે છે ?
ઉત્તર: વૃંદાવનથી
15. સાંજ સમયે આવતા શામળિયાની સાથે કોણ કોણ છે ?
ઉત્તર: ગોધણ અને ગોવાળો
16. નરસિંહ મહેતાએ ‘બલરામ’ માટે કયો શબ્દ પ્રયોજ્યો છે ?
ઉત્તર: હળધર
17. કૃષ્ણ કોના ભાઈ છે ?
ઉત્તર: હળધર (બલરામ) ના
18. ‘સાંજ સમે શામળિયો’ ના રચયિતા (કર્તા) અથવા કવિ કોણ છે ?
ઉત્તર: નરસિંહ મહેતા
19. નરસિંહ મહેતાએ ‘ગિરધર’ શબ્દ કોના માટે પ્રયોજ્યો છે ?
ઉત્તર: શ્રીકૃષ્ણ માટે
20. વહાલાજી અથવા શ્રીકૃષ્ણનું રૂપ કેવું છે ?
ઉત્તર: મહાશુભકારી
21. શ્રીકૃષ્ણએ શિર(માથા) ઉપર શું ધારણ કર્યું છે?
ઉત્તર: મોરમુગટ
22. શ્રીકૃષ્ણના કાનમાં શું ઝૂલે છે ?
ઉત્તર: કુંડળ
23. શ્રીકૃષ્ણએ શેની પછેડી ધારણ કરી છે ?
ઉત્તર: ફૂલની
24. શ્રીકૃષ્ણની ફૂલની પછેડી શેનાથી મહેકે છે ?
ઉત્તર: ચુઆ-ચંદનથી
25. ‘ચુઆ’ શબ્દનો અર્થ શું થાય ?
ઉત્તર: સુગંધી તેલ
26. નરસિંહ મહેતાનાં મનમાં કોણ મોહ ઉપજાવે છે?
ઉત્તર: શ્રીકૃષ્ણનું મનમોહક રૂપ અથવા શ્રીકૃષ્ણ
27. નરસિંહ મહેતા શું જોઇને હરખી રહ્યા છે ?
ઉત્તર: શ્રીકૃષ્ણની શોભા
28. ‘ઓઢવાની જાડી ચાદર’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
ઉત્તર: પછેડી
29. ‘સાંજ સમે શામળિયો’ કાવ્યમાં નરસિંહ મહેતાની શ્રીકૃષ્ણ પ્રત્યેની કયા પ્રકારની ભક્તિ વ્યક્ત થઇ છે ?
ઉત્તર: પ્રેમલક્ષણા ભક્તિ
30. ‘એક જાતનું સુગંધી લાકડું’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
ઉત્તર: ચંદન
31. ‘તેમ ગોવાળમાં ગિરધર શોભે, હરિ હળધરનો વીરો.’ રેખાંકિત સંજ્ઞાઓના પ્રકાર જણાવો.
ઉત્તર: ગોવાળ - જાતિવાચક સંજ્ઞા
ગિરધર - વ્યક્તિવાચક સંજ્ઞા
32. ‘સાંજ સમે શામળિયો વહાલો, વૃંદાવનથી આવે.’ રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો.
ઉત્તર: શામળિયો અને વૃંદાવન બન્ને વ્યક્તિવાચક સંજ્ઞા
33. ‘વહાલાજીનું રૂપ મહાશુભકારી. રસિયા વિણ કેમ રહીએ ?’ રેખાંકિત વિશેષણને ઓળખો.
ઉત્તર: મહાશુભકારી - ગુણવાચક વિશેષણ
34. ‘મોર મુગુટ, શિર સુંદર ધરિયો,
કાને કુંડળ લહેકે;
પહેર્યાં પીતાંબર,ફૂલની પછેડી,
ચુઆ-ચંદન મહેકે.’
આ પંક્તિઓમાં કયો અલંકાર છે ?
ઉત્તર: અંત્યાનુંપ્રાસ અલંકાર
* નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો.
35.‘સાંજ સમે શામળિયો..........,વૃંદાવનથી આવે.’
ઉત્તર: ‘સાંજ સમે શામળિયો વહાલો, વૃંદાવનથી આવે.’
36. ‘તારામંડળમાં જેમ............શોભે હેમે જડિંગ હીરો.’
ઉત્તર: ‘તારામંડળમાં જેમ શશિયર શોભે હેમે જડિંગ હીરો.’
37. ‘વહાલાજીનું રૂપ..............,રસિયા વિણ કેમ રહીએ ?’
ઉત્તર: ‘વહાલાજીનું રૂપ મહાશુભકારી, રસિયા વિણ કેમ રહીએ ?’
* નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો.
38. સાંજ સમે શામળિયો મારો, વૃંદાવનથી આવે.
ઉત્તર: ખોટું
39. આગળ સાજન, પાછળ ગોધન, મનમાં મોહ ઉપજાવે.
ઉત્તર: ખોટું
40. આળ કરી આલિંગન દીધું તન-મન મુખ પર વારું.
ઉત્તર: ખરું
41. પહેર્યાં પિતાંબર , ફૂલની પછેડી, સુખડ-ચંદન મહેકે.
ઉત્તર: ખોટું
No comments:
Post a Comment